મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવાર સાંજે કહ્યું કે તેઓ ભાજપ સાથે હાથ મીલાવવા માટે એટલા માટે રાજી છે કારણ કે ભગવા પાર્ટીનો ગઠબંધનની સહયોગી પાર્ટીઓ પ્રત્યેના વ્યવહારમાં બદલાવ આવ્યો છે. ઠાકરે પોતાના નિવાસ સ્થાને શિવસેનાના કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યાં હતાં. શિવસેના અને ભાજપે સોમવારે જાહેરાત કરી કે તેઓ લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડશે. ઠાકરેએ કહ્યું કે મેં અનુભવ્યું છે કે લોકો પ્રત્યે તેમના વ્યવહારમાં  ફેરફાર આવ્યો છે. આથી મેં ભાજપ સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ભાજપનો એ પ્રસ્તાવ તેમને મંજૂર નથી કે જે પાર્ટીના વધુ ધારાસભ્ય હશે તેમનો મુખ્યમંત્રી હશે. તેમણે કહ્યું કે હું શિવસેનાનો મુખ્યમંત્રી જોવા માંગુ છું. આથી તે માટે હું કામ કરીશ. ઠાકરેએ કહ્યું કે સમાધાનમાં હું જીતી ચૂક્યો છું અને હવે અસલ લડાઈ ચૂંટણી જીતવાની છે. 


દિલ્હી, ઉત્તર પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરમાંથી બહાર નીકળ્યાં


સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરે થયા ટ્રોલ
વાત જાણે એમ હતી કે ઉદ્ધવનું ગઠબંધન સંબંધી નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે ભાજપ સાથે શિવસેનાના ગઠબંધનને લઈને સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરે ખુબ ટ્રોલ થઈ રહ્યાં છે. કારણ કે અગાઉ  તેમણે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. સોમવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મંચ પર આવીને સત્તારૂઢ સહયોગીઓ વચ્ચે ચૂંટણી પૂર્વ ગઠબંધનની જાહેરાત પર શિવસેના પ્રમુખ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર જાત જાતની વાતો કરવામાં આવી છે અને તેમના નામ ઉદ્ધવ ઠાકરેના પ્રારંભિત અક્ષરો યુ ટીને યુ ટર્ન ઠાકરે તરીકે ગણાવવામાં આવ્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...